આ IAS અધિકારીને એક વાત જાણવા મળી હતી અને તે સાબિત કરવા માટે ખેડૂતનો વેશ ધારણ કરીને જોવા ગયા અને પછી જે જોયું…
ઘણી વખતે એવા બહુ જ બધા કિસ્સાઓ બનતા હોય છે જેને જાણીને આપણે સૌ લોકો ચોકી જતા હોઈએ છીએ. હાલમાં એક એવા જ ચોંકાવનારા બનાવ વિષે આપણે જાણીએ જેમાં એક IAS અધિકારીએ ખાતરની દુકાને ગયો અને ત્યાં તેને જે જોવા મળ્યું તે ખરેખર ચોંકાવનારું હતી.
આ બનાવ હાલમાં ખુબ જ ચર્ચામાં પણ છે. હાલમાં છેતરપિંડીના અને કાળાબજારીનાં ઘણા બનાવો જોવા મળતા હોય છે અને આ બનાવમાં એવું જ થયું છે.આ બનાવ આંધ્રપ્રદેશના વિજયવાડાનો છે, અને અહીંયા એક કાળાબજારી કરનારા એક ખાતરની દુકાનવાળને પકડવા માટે અહીંના IAS જી સૂર્ય પ્રવીણચંદે ગ્રાહકોની સાથે થતી
આ કાળાબજારી અને છેતરપિંડીની તપાસની કરવા માટે એક અલગ જ યુક્તિ બનાવી દીધી હતી. યુરિયા ખાતર અને ડીએપીમાં ભાવ વધારે લેવામાં આવતો હતો.આ વાતની જાણકારી તેમને ઘણી વખતે થઇ હતી અને તેથી તેઓએ જાતે જ તપાસ કરવાનું વિચાર્યું હતું
અને તેઓ ખેડૂતનો વેશ કરીને કેકલુરુમાં આ ખાતરની દુકાને ગયા હતા. ત્યાં જઈને તેઓએ યુરિયા ખરીદ્યુ હતું. તેમને આ દુકાનદારોએ નક્કી કરેલા ભાવ કરતા વધારે ભાવમાં ખાતર આપ્યું હતું.ત્યારબાદ તેઓએ આ દુકાનોને સીઝ કરાવી દીધી હતી, આ કામ કર્યા પછી લોકો તેમની ખુબ જ પ્રશંશા પણ કરી રહ્યા છે.